લિંક કોપી થઇ ગઈ છે..
Home / પ્રાદેશીક / પાલનપુરના પારપડા ખાતે 28 નવયુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના પારપડા ખાતે આવેલ રામદેવપીરની મંદિરની બાજુમાં ધાણધાર રોહિત સમાજના 14માં સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતુ.જેમા 28 જેટલા નવદંપત્તિઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા.આ પ્રસંગે સમૂહ લગ્નનાં પ્રમુખ મફતલાલ ભાટિયા,ઉપપ્રમુખ લાલજીભાઈ ચૌહાણ,વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી,પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુબેન મકવાણા,ભાજપ નેતા અશ્વિનભાઈ સકસેના,ભરતભાઈ પરમાર,પારપડા ગામનાં સરપંચ રમેશભાઈ અટોસ,અતુલભાઇ ચોકસી,કોંગ્રેસ ઉપપ્રમુખ મુકેશભાઈ ચૌહાણ,સમાજ કલ્યાણ અધિકારી મનીષભાઈ સોલંકી સહિત અનેક આગેવાનો તેમજ દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા.