લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / શિર્ડી શહેરનું કાયાપલટ કરવામાં આવશે

શિર્ડી શહેરનું રૂ.52 કરોડના ખર્ચે કાયાપલટ કરવામા આવશે.જેમાં રાજ્ય સરકાર દ્વારા આ પ્લાનની કોપી તાજેતરમાં સાઈબાબાના ચરણે ધરવામાં આવી હતી.આમ આ પ્લાનમાં સાઇબાબા મંદિર પરિસરના પાદચારીમાર્ગ,પાંચ એકર પરિસરમાં સાઇવૃંદાવન પાર્ક વિકસિત કરવા,શહેરના ચૌકનું સૌંદર્યકરણ,પૂરતા પ્રમાણમાં વોશરૂમ,લેન્ડ સ્કેપિંગ,ભૂગર્ભ પાદચારી માર્ગ,આકર્ષક બેઠકની વ્યવસ્થા, ગ્રાફિક્સ, ભીંતચિત્ર,પર્યાયી માર્ગ,અલ્પાહાર કેન્દ્ર,વિશ્રાંતીકક્ષ,મદદ કેન્દ્ર,પર્યટન માહિતી કેન્દ્ર,સી.સી.ટીવી,રેન વોટર હાર્વેસ્ટીંગ,વોટર પોઇન્ટનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.ત્યારે આ પ્લાનને પગલે શિર્ડીની મુલાકાત લેતા ભાવિકો માટે સુવિધાઓ વધશે તથા સમગ્રતયા શિર્ડી શહેર વધુ આકર્ષક બનશે.