અમદાવાદ શહેરના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આવેલી ધન્વતરી કોવિડ હોસ્પિટલમાં કાર્યરત હેલ્થકેર વર્કર્સ માટે 7 દિવસીય કોવિડ એડવાન્સ ટ્રેનિંગ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે.જેમાં તેમને 7 દિવસીય ટ્રેનિંગ પ્રોગ્રામમાં કોરોના સામેની વિકટ પરિસ્થિતિઓ અને આઇસીયુ વ્યવસ્થાપન અંગે તાલીમબદ્ધ કરવામાં આવશે.આમ બે તબક્કામાં યોજાનારી આ તાલીમમાં 200થી વધુ હેલ્થકેર વર્કર્સને કોરોના ઇમરજન્સી સારવાર માટે સજ્જ કરવામાં આવશે.જેમાં ગુજરાત સરકાર અને ડીઆરડીઓના નિષ્ણાંત 30 તબીબો અને કન્સલટન્ટ દ્વારા તમામ હેલ્થકેર વર્કસને તાલીમ આપવામાં આવનાર છે.
આમ આ તાલીમ વિશે વિશેષમાં બી.જે.મેડિકલ કોલેજના પ્રોફેસર અને મેડિસીન વિભાગના વડા ડો.કમલેશ ઉપાધ્યાયે જણાવ્યું હતુ કે કોરોનાની બીજી લહેરમાં સામનો કરેલા તમામ પડકારોને ધ્યાનમાં રાખીને આગોતરા આયોજનના ભાગરૂપે હેલ્થકેર વકર્સની તાલીમનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved