વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રી કુંવરજી બાવળીયાએ વહેલી સવારે આરતીમાં ભાગ લઈ માતાજીના દર્શન અને પૂજા-અર્ચના કર્યા હતા.ત્યારે અંબાજી ખાતે દર્શન કરવા પધારેલા મંત્રીનું શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા માતાજીનો ખેસ પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યુ હતું.અંબાજી મંદિર ખાતે મંત્રીએ મંદિરના ગર્ભગૃહમાં અંબાના દર્શન કર્યા હતા.ત્યારે મંદિરના મહારાજ દ્વારા મંત્રીનું માતાજીની ચુંદડી ઓઢાડીને બહુમાન કરવામાં આવ્યુ હતું.ત્યારબાદ મંત્રીએ માતાજીની ગાદી પર જઈને ભટ્ટજી મહારાજના આશીર્વાદ મેળવ્યા હતા.
Error: Server configuration issue
પ્રાદેશીક ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved