અમરેલી જિલ્લામાં કોરોના સંક્રમણ વધતા ઇશ્વરીયા ગામમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે સાંજના 7 થી સવારના 6 વાગ્યા સુધી લોકડાઉન રહેશે.આમ કોરોનાનો કહેર અમરેલી જિલ્લાના શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારમાં જોવા મળ્યો છે.આમ આ મહામારીમાં ખાનગી અને સરકારી હોસ્પિટલો પણ ઉભરાઇ રહી છે.ત્યારે ઇશ્વરીયા ગ્રામજનો દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે.જેમાં સાંજના 7 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી બંધ રાખી લોકડાઉન રાખવાનો નિર્ણય લેવાયો છે.આ સિવાય કુંકાવાવના દેવગામ ગ્રામપંચાયત દ્વારા પણ કોરોના સંક્રમણ અટકાવવા માટે મહત્વનો નિર્ણય લેવાયો છે.જેમાં સવારના 6 થી બપોરે 1 વાગ્યા સુધી દુકાનો ચાલુ રાખવી.ત્યારબાદ બંધ રાખી લોકડાઉન રાખવાનો નિર્ણય લેવાયો છે.આ ઉપરાંત માસ્ક નહિ પહેરનાર સામે ગ્રામપંચાયત દ્વારા કાર્યવાહી કરવામાં આવશે તેવું કહેવામા આવ્યું છે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved