સુપ્રીમ કોર્ટમાંથી દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની સરકારને મળેલા અધિકાર બાદ એક્શનમાં જોવા મળી રહી છે.ત્યારે પ્રથમ સેવા સચિવ આશિષ મોરેને હટાવવા માટે ઉપરાજ્યપાલ વી.કે સક્સેનાને પ્રસ્તાવ મોકલવામાં આવ્યો હતો અને વર્તમાનમા દિલ્હીના મુખ્ય સચિવને હટાવવા માટે કેન્દ્ર સરકારને પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે.ત્યારે આ અંગે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઉપરાજ્યપાલ મારફતે કેન્દ્ર પાસેથી સંમતિ માંગી છે.દિલ્હી સરકાર નરેશ કુમારના સ્થાને પી.કે ગુપ્તાને મુખ્ય સચિવ બનાવવા માંગે છે જેના માટે દિલ્હી સરકારે કેન્દ્રને પ્રસ્તાવ મોકલ્યો છે.પી.કે ગુપ્તા 1989 બેચના આઇ.એ.એસ અધિકારી છે અને હાલમાં એ.સી.એસ છે.આ સિવાય દિલ્હી સરકારે ઉપરાજ્યપાલ વીકે સક્સેનાને સર્વિસ સેક્રેટરી આશિષ મોરેને હટાવીને એ.કે સિંહને હોદ્દો આપવાનો પ્રસ્તાવ મોકલ્યો હતો.આ નિર્ણય સિવિલ સર્વિસ બોર્ડની બેઠક બાદ લેવામાં આવ્યો હતો.આ બેઠકમાં અધિકારીઓએ સર્વિસ સેક્રેટરીને હટાવવા અંગે કોઈ અસંમતિ વ્યક્ત કરી ન હતી.આ બાદ દિલ્હી સરકારે એ.કે સિંહને નવા સેવા સચિવ બનાવવા માટે ઉપરાજ્યપાલને પ્રસ્તાવ મોકલ્યો હતો.
Error: Server configuration issue
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved