અમદાવાદમાં ગરમીની સાથે આગના બનાવો પણ વધી રહ્યાં છે.ત્યારે શહેરમાં બે થી ત્રણ દિવસમાં ત્રણેક બનાવો સામે આવ્યાં છે.ત્યારે વર્તમાનમાં બાપુનગર સ્થિત નૂતન મીલ પાસેના વિકાસ એસ્ટેટમાં આગ લાગવાની ઘટના બની છે.જેમા ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગતાં ફાયરબ્રિગેડની આઠ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચીને આગ હોલવવાની કામગીરી શરૂ કરી છે.જેમા આગ લાગવાનું કારણ અકબંધ છે.આગની ઘટનાથી ફેક્ટરીની આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ સર્જાયો છે.બીજીતરફ આગ અન્ય ફેક્ટરીઓ સુધી પણ પહોંચી રહી છે.ત્યારે આગને બુઝાવવા માટે ફાયર બ્રિગેડ દ્વારા આધુનિક ઉપકરણો પણ લાવવામાં આવ્યાં છે.બાપુનગર વિસ્તારમાં અનિલ સ્ટાર્ચ મિલ રોડ ઉપરના વિકાસ એસ્ટેટમાં ફટાકડાની દુકાનો અને ગોડાઉન આવેલા છે.જેમાં દુકાન નંબર 94 થી 114 નંબર સુધીની દુકાનવાળી લાઈનમાં આવેલા જય અંબે ટ્રેડર્સ નામના ફટાકડાની ગોડાઉનમાં આગ લાગી હતી.જેને પગલે એકસાથે ફટાકડાની 25 જેટલી દુકાનો આગની ચપેટમાં આવી ગઈ છે.આ દુર્ઘટનામાં કુલ 7 લોકોને ઈજા થઈ છે.જેમાં બે લોકોને ગંભીર ઇજા થતા શારદાબેન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.જ્યારે 5 લોકોને સામાન્ય ઈજા થઈ છે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved