લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / વડોદરાની ગતિશક્તિ યુનિવર્સિટીમા નવા અધ્યાપકોની ભરતી કરવામા આવશે

કેન્દ્ર સરકારના રેલવે મંત્રાલયના હસ્તકની અને વડોદરામાં કાર્યરત ગતિશક્તિ યુનિવર્સિટીનુ આગામી શૈક્ષણિક વર્ષથી વિસ્તરણ કર – વાની કવાયત ચાલી રહી છે.ત્યારે તેના ભાગરૂપે યુનિવર્સિટીમાં 32 અધ્યાપકોની ભરતી કરવામાં આવશે.જેમા માંજલપુર ખાતેની રેલવે સ્ટાફ કોલેજમાં ગતિશક્તિ યુનિવર્સિટીની સ્થાપના બાદ પ્રથમવાર વિદ્યાર્થીઓના ટેક ફેસ્ટનુ આયોજન કરાયુ છે.જેમાં 700 વિદ્યા ર્થીઓ સામેલ થયા છે.આ પ્રસંગે યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરે કહ્યુ હતુ કે હાલમાં યુનિવર્સિટીમાં 12 અધ્યાપકો છે અને વિવિધ ફેકલ્ટીના 32 અધ્યાપકોની ભરતી કરવાનો નિર્ણય લેવામા આવ્યો છે.જેના માટે ઓનલાઈન એપ્લિકેશન કરવાની છેલ્લી તા.26 માર્ચ રાખવામાં આવી છે.આમ જે અધ્યાપકોની ભરતી કરવામાં આવી રહી છે તેમાં સિવિલ એન્જિનિયરિંગ,ઈલેક્ટ્રિકલ એન્જિ નિયરિંગ,કો-મ્પ્યુટર સાયન્સ,મિકેનિકલ એન્જિનિયરિંગ,માર્કેટિંગ,એકાઉન્ટિંગ એન્ડ ફાઈનાન્સ અને ઈકોનોમિક્સનો સમાવેશ થાય છે.અધ્યાપકોની ભરતીમાં આસિસટન્ટ પ્રોફેસર અને એસોસિએટ પ્રોફેસરના હોદ્દા પર ભરતી કરવામાં આવશે.આ દરમિયાન યુનિવર્સિટીના ટેક ફેસ્ટમાં વિવિધ કોર્પોરેટ કંપનીઓના એક્ઝિક્યુટિવ્સના લેક્ચર પણ યોજાયા હતા.જેમા વડોદરાના સાંસદ મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા.