લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / બેંગ્લુરુ થી વારાણસી જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં ટેક્નિકલ ખામી સર્જાઈ

બેંગ્લુરુ થી વારાણસી જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં ટેક્નિકલ ખામી સર્જાઈ જતા ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવી હતી.જે ઈમરજન્સી લેન્ડિંગના કારણે 137 મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા.આમ વર્તમાનમા બેંગ્લુરુ થી વારાણસી જતી ફ્લાઈટમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી ત્યારે તેલંગાણાના શમશાબાદ એરપોર્ટ પર સવારે 6.15 વાગ્યે ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.ત્યારે વર્તમાનમા ફ્લાઈટમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે.બેંગલુરુથી ફ્લાઈટ ટેકઓફ થઈ ત્યારે પાઈલટને તેમાં ટેક્નિકલ ખામી હોવાની જાણ થઈ હતી.ત્યારપછી પાયલટે તેલંગાણાના શમશાબાદ એરપોર્ટ પર વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું.આ અગાઉ થોડા દિવસો પહેલા બેંગ્લુરુથી અબુધાબી માટે ઉડાન ભરેલી એતિહાદ એરવેઝની ફ્લાઈટમાં પણ ટેક્નિકલ ખામી સર્જાઈ હતી.જેને પણ બેંગ્લુરુના એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.આ ફ્લાઈટ ટેકઓફ થતાં જ કેપ્ટનને જાણવા મળ્યું કે એરક્રાફ્ટના કેબિન પ્રેશરમાં ઘટાડો થયો છે ત્યારબાદ તેણે ઈમરજન્સી લેન્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો.