ગુજરાતમાં ધો.12 સાયન્સનું પરિણામ જાહેર થઈ ગયું છે.જે પરિણામ ગત વર્ષ કરતાં ઓછું આવ્યુ છે.ત્યારે ગુજરાત બોર્ડના સભ્યોએ રાજ્યમાં ચાલતી ડમી સ્કલોની તપાસ કરવા માટે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.આ પત્રમાં જે વિદ્યાર્થીઓ ડમી સ્કૂલમાં પ્રવેશ મેળવે છે તેવી સ્કૂલો અંગે તપાસ કરવા બોર્ડના સભ્યોએ સરકાર પાસે માંગ કરી છે.આ ઉપરાંત શિક્ષકો પણ કાગળ ઉપર જ હાજર હોય છે.જ્યારે બોર્ડની પેપર ચકાસણી હોય છે, ત્યારે ડમી સ્કૂલના શિક્ષકો બહાના બતાવીને ગેરહાજર રહે છે.ડમી સ્કૂલના કારણે બોર્ડના પરિણામ પર માઠી અસર જોવા મળે છે,જેથી સરકારે આવી સ્કૂલો ઉપર તપાસ કરીને કાર્યવાહી કરવી જોઈએ. જો સરકાર કાર્યવાહી ન કરે તો લાંબાગાળે ગુજરાતના બાળકોને મોટું નુકસાન થઈ શકે છે.
Error: Server configuration issue
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved