દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 11 હજારથી વધુ નવા કેસ જોવા મળ્યા છે ત્યારે સક્રિય કેસોની સંખ્યા વધીને 50 હજારથી નજીક પહોંચી ગઈ છે.આ ઉપરાંત દર્દીઓના સાજા થવાનો દર પણ 98.70 ટકા રહ્યો છે.જેમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર ભારતમાં દૈનિક સંક્રમણ દર 5.01 ટકા છે જ્યારે સાપ્તાહિક સંક્રમણ દર 4.29 ટકા છે.આમ અત્યારસુધીમા 4,42,16,583 લોકો સંક્રમણથી મુક્ત થયા છે,જ્યારે કોવિડ-19થી મૃત્યુદર 1.19 ટકા થયો છે.આમ ભારતમાં રસીકરણ અભિયાન હેઠળ અત્યારસુધીમાં કોવિડ-19 રસીના 220,66,25,120 ડોઝ આપવામાં આવ્યા છે.જેમા કોવિડ-19ના વધતા જતા કેસોને જોતા દિલ્હી સરકાર સતર્ક થઈ ગઈ છે ત્યારે મંત્રી આતિશીએ કહ્યુ હતુ કે સરકાર કોવિડ 19ની સ્થિતિની સમીક્ષા કરી રહી છે.ત્યારે આ અંગેની માર્ગદર્શિકા ટૂંક સમયમાં શાળાઓને જાહેર કરવામાં આવશે.
Error: Server configuration issue
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved