દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે મુંબઈમાં શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી.કેજરીવાલે રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં સેવાઓના નિયંત્રણમુક્ત કરવાના કેન્દ્રના વટહુકમ સામે આમ આદમી પાર્ટીની લડાઈમાં ઉદ્ધવનું સમર્થન માંગ્યું હતું.જેમાં ઉદ્ધવ સાથેની મુલાકાત દરમિયાન પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન,આપના રાજ્યસભાના સભ્યો સંજય સિંહ અને રાઘવ ચઢ્ઢા તેમજ દિલ્હી સરકારના મંત્રી આતિશી પણ કેજરીવાલ સાથે હાજર રહ્યા હતા.કેન્દ્રના વટહુકમ સામે આપની લડાઈમાં તેમનું સમર્થન મેળવવા મુખ્યમંત્રી કેજરીવાલ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પવારને પણ મળશે.વટહુકમ સામે વિરોધ પક્ષોનું સમર્થન મેળવવા માટે તેમના દેશવ્યાપી પ્રવાસના ભાગરૂપે કેજરીવાલ અને માન ગઈકાલે કોલકાતામાં પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીને પણ મળ્યા હતા.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved