દિલ્હીમાં કોરોના સંક્રમણના કેસમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે.ત્યારે લોકડાઉનમાં પણ રાહત આપવામાં આવી છે.જે બાબતે રાજ્યના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યુ હતું કે અર્થતંત્રને પાટા પર લાવવા માટે ધીમે-ધીમે એક્ટિવિટી શરૂ કરવામાં આવી રહી છે.ત્યારે આ વખતે અનલોક-૩ હેઠળ દિલ્હીમાં અનેક નિયંત્રણો હળવા કરવામાં આવી રહ્યાં છે.ત્યારે સોમવારથી અમુક વસ્તુ માટે છૂટ મળશે,જ્યારે કેટલીક વસ્તુઓ પર રોક યથાવત રહેશે.જેમાં શોપિંગ મોલ્સ અને માર્કેટ માટે ઓડ-ઇવન ફોર્મુલા દૂર કરતાં તે આવતીકાલથી આગામી એક અઠવાડિયા સુધી રોજ સવારે 10 થી રાતના 8 વાગ્યા સુધી ખુલશે.આ સિવાય રેસ્ટોરાં ખોલવાની મંજૂરી હશે,પરંતુ વર્તમાન સમયમાં 50 ટકા સિટિંગ કેપેસિટી હશે.ખાનગી ઓફિસોમા 50 ટકા કેપેસિટી સાથે 9 થી 5 વાગ્યા સુધી કામ કરશે,વીકલી માર્કેટ ખુલશે.આમ બીજીબાજુ સ્કૂલ-કોલેજ,કોચિંગ ઇન્સ્ટીટ્યૂટ બંધ રહેશે.સામાજિક,ધાર્મિક,રાજકીય કાર્યક્રમો પર રોક રહેશે.જિમ,પબ્લિક પાર્ક,યોગા ઇન્સ્ટીટ્યૂટ બંધ રહેશે.અંતિમ સંસ્કારમાં 20થી વધુ લોકો સામેલ નહીં થાય,મેટ્રો અને બસોમાં 50 ટકા કેપેસિટી જ રહેશે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved