સોના તથા દાગીના પરના જીએસટી અને તેના ખરીદ-વેચાણ જેવા અનેકવિધ વ્યવહારોમાં જુદાજુદા અર્થઘટનથી સર્જાતા વિવાદ વચ્ચે કર્ણાટક ઓથોરીટી ઓફ એડવાન્સ રૂલીંગ દ્વારા મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે.જેના અંતર્ગત સોનાના જુના દાગીનાની ખરીદી તેમજ તેના વેચાણમાં તફાવતની નાણાં પર જીએસટી લાગુ પડતી નથી.આમ આટલું જ નહિં જુના દાગીના ઓગાળીને જે સોનાનો ઢાળ બને તેના વેચાણમાં ભાવ તફાવત પર પણ જીએસટી લાગુ પડતો નથી.સીજીએસટી કાયદા 2017 ની કલમ 32 (5) ને ટાંકીને કર્ણાટક ઓથોરીટી ઓફ એડવાન્સ રૂલીંગમાં બેંચે ચુકાદામાં કહ્યુ હતું કે જુના દાગીનાનો એચએનકોડ 7113 છે,જયારે તેને ઓગાળી નાખવામાં આવ્યા બાદ અનિયમીત આકારનો સોનાનો ઢાળ બને તેનો એચએસએન કોડ 7108 છે.આમ ડિઝાઈન જુની થઈ ગઈ હોય અથવા ભાંગેલા-તુટેલા દાગીના ન વેચાય તો તેને ઓગાળી નાંખે છે.જુના દાગીનાની ખરીદી વખતે જીએસટી ઉઘરાવતાં નથી અને કલમ 32 (5) હેઠળ વેચાણ વખતે પણ જીએસટી ભરતા નથી.
Error: Server configuration issue
Business ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved