લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ગુજરાત પોલીસના અધિકારી-જવાનોને રાષ્ટ્રપતિના ચંદ્રક જાહેર કરાયા

26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા ગુજરાત પોલીસમાં બે વિશિષ્ટ સેવા મેડલ અને 17 પ્રસંશનીય સેવામેડલ જાહેર કરવામાં આવ્યા છે.જેમાં એક આઈપીએસ,6 નાયબ પોલીસ અધિક્ષક,2 પોલીસ ઈન્સ્પેકટર સહિત 19 જવાનોનો સમાવેશ થાય છે. આગામી દિવસમાં આ અધિકારી/જવાનોને મેડલ એનાયત કરવામાં આવશે. રાષ્ટ્રપતિ મેડલ મેળનાર અધિકારી,જવાનોને રાજય પોલીસ વડા દ્વારા અભિનંદન પણ પાઠવવામાં આવ્યા હતા. પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએે રાષ્ટ્રપતિ દ્વારા ગુજરાત પોલીસમાં ફરજ બજાવતાં અધિકારીઓ અને જવાનોને પ્રસંશનીય સેવા અંગેના પોલીસ મેડલ જાહેર કરવામાં આવ્યા છે.જેમાં વિશિષ્ટ સેવામેડલ કાયદો અને વ્યવસ્થાના એડીજીપી નરસિંમ્હા એન.કોમાર અને અમદાવાદ શહેર પોલીસના એએસઆઈ ભરતસિંહ દોલતસિંહ વાઘેલાને એનાયત કરવામાં આવશે.જયારે પ્રસંશનીય સેવામેડલ મેળવનાર અધિકારી અને જવાનોમાં આઈબીના ડીવાયએસપી વી.જે.રાઠોડ,સુરત શહેરના ડીવાયએસપી ડી.જે.ચાવડા,પાટણના ડીવાયએસપી સી.એલ.સોલંકી,સુરેન્દ્રનગરના ડીવાયએસપી આર.બી.દેવધા,એસઆરપી જુથ-17 ચેલાના ડીવાયએસપી એન.એમ.પટેલ,એસઆરપી જુથ-2ના ડીવાયએસપી વી.એ.પરમાર,એસઆરપી જુથ-2ના પોલીસ ઈન્સ્પેકટર ડી.જે.આહીર,પોલીસ ભવન તકનીકી સેવાઓના વાયરલેસ પોલીસ ઈન્સ્પેકટર ડી.કે.કોષ્ટી,એસઆરપી જુથ-2 સૈજપુરના પીએસઆઈ આર.ડી.રણાવત,ખેડાના એએસઆઈ મહેશકુમાર કાલીદાસ રાઠોડ,આણંદના એએસઆઈ મહંમદ યુસુફ ઈસ્માઈલભાઈ શેખ,સુરત શહેરના એએસઆઈ પંકજભાઈ બાબુભાઈ પટેલ,અમદાવાદ ગ્રામ્યના એએસઆઈ જગદીશભાઈ મેવાભાઈ રબારી,અમદાવાદ ક્રાઈમ બ્રાંચના એએસઆઈ પ્રહલાદસિંહ રતનસિંહ મકવાણા,સુરત શહેરના એએસઆઈ વિજયભાઈ બહાદુરસિંહ ડોડીયા,અમદાવાદ શહેરના હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ વેલુભાઈ ગોહીલ અને અમદાવાદ ક્રાઈમબ્રાંચના હેડ કોન્સ્ટેબલ વસંતભાઈ જીવાભાઈ પટેલનો સમાવેશ થાય છે. આ પોલીસ અધિકારી તથા જવાનોને આગામી દિવસોમાં આ રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત કરવામાં આવશે.ત્યારે રાજય પોલીસ વડા આશિષ ભાટીયાએ પણ રાષ્ટ્રપતિના પોલીસ મેડલ મેળવનાર જવાનોને અભિનંદન પાઠવ્યા હતા. પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ મેડલની સાથે ગૃહમંત્રાલય દ્વારા પોતાની જીંદગી જોખમમાં મુકીને જીવ બચાવનાર પોલીસ જવાનને જીવનરક્ષા મેડલ પણ જાહેર કરવામાં આવ્યો છે.જેમાં તૌકતે વાવાઝોડા સમયે ગુજરાતના દરીયાકાંઠે ત્રણ બોટમાં ફસાયેલા આઠ ક્રૂ મેમ્બરના જીવ બચાવનાર ગીર સોમનાથ જિલ્લાના એઅસઆઈ જગદીશભાઈ દાનાભાઈ મકવાણાને પણ ઉત્તમ જીવનરક્ષા પદક એનાયત કરવામાં આવશે.