Error: Server configuration issue
કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈ સરકારે મા-કાર્ડની મુદ્દત આગામી 31મી જુલાઇ સુધી લંબાવાનો નિર્ણય કર્યો છે. જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યુ છે કે કોરોનાની વર્તમાન પરિસ્થિતિમાં રાજ્યની કચેરીઓ બંધ રહેતી હોઇ આવકના દાખલા કઢાવવાની મુશ્કેલી ધ્યાને લઇ,નાગરિકોને આરોગ્યલક્ષી સારવાર માટે સહાયરૂપ થવા માટે મા-કાર્ડની મુદ્દત આગામી 31 મી જુલાઇ,2021 સુધી લંબાવવાનો આરોગ્ય વિભાગે નિર્ણય કર્યો છે.આ સિવાય જે નાગરિકોના મા-કાર્ડની મુદ્દત તા.31-3-2021ના રોજ પુરી થઇ છે તેવા નાગરિકો માટે વર્તમાન કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તથા આવકના દાખલા કઢાવવાની સાંપ્રત મુશ્કેલી ધ્યાને લઇ,મા-કાર્ડની મુદ્દત વધુ ત્રણ મહિના એટલે કે, તા.30-6-2021 સુધી લંબાવવામાં આવી હતી.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved