લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / હરભજન સિંહે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી

ભારતના દિગ્ગજ સ્પિનર હરભજનસિંહે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે. હરભજન સિંહે વર્ષ 1998માં ડેબ્યુ કર્યુ હતુ.23 વર્ષ બાદ તેણે ક્રિકેટને અલવિદા કહ્યુ છે.17 વર્ષની ઉંમરે તેણે ક્રિકેટ કેરિયરની શરૂઆત કરી હતી. જેમણે 103 ટેસ્ટમાં 417 વિકેટ લીધી છે જ્યારે બે સદી સાથે 2235 રન પણ બનાવ્યા છે. આ સિવાય 236 વન ડેમાં 269 વિકેટ ઝડપી છે.ટી-20ની 28 મેચમાં 25 વિકેટો લીધી છે. આમ હરભજનસિંહ અનિલ કુંબલે અને અશ્વિન બાદ ભારત તરફથી ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલર છે.આ સિવાય આઈપીએલમાં તેમણે 150 વિકેટો ઝડપી છે.