લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / ભારત-રશિયા દ્વિપક્ષીય વેપાર પર વાતચીત કરશે

યુક્રેન યુદ્ધના કારણે દબાણનો સામનો કરી રહેલું રશિયા ભારત સાથેના સંબંધો વધુ મજબૂત કરવા માંગે છે.ત્યારે ભારત-રશિયા આંતર-સરકારી આયોગની બેઠક માટે રશિયાના નાયબ વડાપ્રધાન અને ઉદ્યોગ અને વેપાર પ્રધાન ડેનિસ મન્ટુરોવ નવી દિલ્હી પહોચ્યા હતા.જેમાં તેમણે નવી દિલ્હીમાં વિદેશમંત્રી ડો.એસ. જયશંકર અને ભારતીય વેપારના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી હતી.જે અંગે તેઓએ જણાવ્યુ હતુ કે બંને દેશો વચ્ચે આઈ.જી.સીએ વિવિધ વિભાગો તેમજ સંગઠનોની ભાગીદારી સાથે સ્થાનિક મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા સિસ્ટમ છે.જેના અંતર્ગત વેપાર અને આર્થિક સંબંધો વિશે નહીં પરંતુ શિક્ષણ અને સંસ્કૃતિ જેવા માનવવિકાસ સાથે જોડાયેલા મુદ્દાઓ પર પણ વાત કરવામાં આવશે.આ સિવાય બંને દેશોના બજારોમાં ઉત્પાદનોની પરસ્પર પહોંચ વધારવાના મુદ્દા પર ભાર મુકવામાં આવ્યો છે.આ સિવાય રશિયા યુરેશિયન ઈકોનોમિક કમિશન સાથે મળીને ભારત સાથે મુક્ત વ્યાપાર કરાર ટૂંક સમયમાં પૂર્ણ કરવાની કવાયતમાં લાગેલું છે.જેમા રશિયાએ ભારતના ફાર્માસ્યુટિકલ સેક્ટરને વધુ સારી રોકાણ સુવિધાઓ સાથે આમંત્રણ આપ્યું છે.