લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / ગણતંત્ર દિવસની પરેડમા સેનાના ત્રણેય વિમાન આકર્ષણનુ કેન્દ્ર રહેશે

ગણતંત્ર દિવસને લઈને સેનાની તૈયારીઓ ચાલી રહી છે.જેમાં વાયુસેના,આર્મી અને નૌસેનાના 75 વિમાનોનુ ગણતંત્ર દિવસની પરેડને લઈને રાજપથ પર થનાર અત્યારસુધીનો સૌથી ભવ્ય ફ્લાયપાસ્ટ હશે.જેમાં તેમણે જણાવ્યુ હતું કે આઝાદીનો અમૃત મહોત્સવ સમારોહ અંતર્ગત ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. આ સિવાય ગણતંત્ર દિવસના અવસરે રાજપથ પર પાંચ રાફેલ વિમાન કરતબ બતાવવાની સાથે પોતાની તાકાતનુ પ્રદર્શન કરશે.આ સિવાય નૌસેનાના મિગ-29 કે અને પી-8આઈ સર્વિલાંસ વિમાન ઉડાન ભરશે. 17 જગુઆર વિમાન અમૃત મહોત્સવના 75માં વર્ષની આકૃતિ બનાવતા આકાશમાં જોવા મળશે.