લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / ભારતીય રેલ્વેને વર્ષ 2022-23મા રૂ.2.40 લાખ કરોડની આવક થઈ

ભારતીય રેલ્વેએ નાણાકીય વર્ષ 2022-23મા રૂ.2.40 લાખ કરોડની રેકોર્ડ આવક મેળવી છે.જે પાછળના નાણાકીય વર્ષ કરતાં રૂ. 49,000 કરોડ વધુ છે. જેમાં રેલવે મંત્રાલયના નિવેદન મુજબ 2022-23માં માલસમાનની હેરફેરથી થતી આવક વધીને રૂ.1.62 લાખ કરોડ થઈ ગઈ છે,જે પાછલા વર્ષની સરખામણીમાં લગભગ 15 ટકા વધુ છે.જેમાં ભારતીય રેલ્વેમાં મુસાફરોની આવક વાર્ષિક ધોરણે 61 ટકા વધીને રૂ.63,300 કરોડ સુધી પહોંચી છે.ત્યારે ત્રણ વર્ષ બાદ ભારતીય રેલ્વે તેના પેન્શન ખર્ચને પહોંચી વળવામાં માટે સફળ રહી છે.