વર્તમાન સમયમાં યુવા વર્ગમાં સ્ટ્રેસ,વર્કલોડ,ફાસ્ટ ફૂડ તેમજ જીમમાં અયોગ્ય કસરતોના કારણે હ્ર્દયરોગ અને હાર્ટએટેકનું જોખમ વધી ગયું છે.ત્યારે ઈમરજન્સીના સમયે દર્દીનો જીવ બચાવવા માટે સીપીઆર પ્રક્રિયા ખુબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.ત્યારે તેના અંતર્ગત જામનગરની જી.જી હોસ્પિટલમાં રાજ્ય સરકાર,ઈન્ડિયન સોસાયટી ઓફ એનેસ્થેશિયોલોજી અને એનેસ્થેશિયા વિભાગના સહયોગથી નાગરિકોના હિતાર્થે સી.પી.આર ટ્રેઈનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં કોઈપણ દર્દીને સી.પી.આર આપતા પૂર્વે તેની તાલીમ લેવી ખુબ આવશ્યક છે નહીંતર દર્દીની પરિસ્થિતિ વધુ બગડી શકે છે.ત્યારબાદ દર્દીને તાત્કાલિક હોસ્પિટલમાં રીફર કરાવવો જરૂરી છે.કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન જે સી.પી.આર તરીકે ઓળખાય છે.આ પ્રક્રિયા વ્યક્તિના મગજ અને અવયવોમાં ઓક્સિજનયુક્ત રક્તના પ્રવાહને પુનઃસ્થાપિત કરવા માટે ઉપયોગી છે.જેમાં કોઈ સંજોગોમાં જયારે વ્યક્તિ અચાનક હ્ર્દયરોગના હુમલાનો ભોગ બને છે.ત્યારે જો મગજમાં ઓક્સિજનયુક્ત રક્તનો પ્રવાહ થોડીવારમાં પુનઃ સ્થાપિત કરવામાં ન આવે તો દર્દીનું ઘટનાસ્થળે જ મૃત્યુ થઈ શકે છે અથવા તો મગજમાં કાયમી ધોરણે નુકસાન થઈ શકે છે.આ કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમ,કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ,ધારાસભ્ય રીવાબા જાડેજા,મેઘજી ચાવડા,મેયર બીનાબેન કોઠારી,જી.જી હોસ્પિટલ ડીન ડો.એસ.એસ. ચેટરજી,તબીબી અધિક્ષક ડો.દિપક એસ.તિવારી,એનેસ્થેશિયા વિભાગના વડા ડો.વંદનાબેન ત્રિવેદી,એનેસ્થેશિયા ટીમ,એમ.પી.શાહ મેડિકલ કોલેજ,વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા.
Error: Server configuration issue
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved