પ્રખ્યાત કથક નૃત્યાંગના પંડિત બિરજુ મહારાજનું નિધન થયું છે. પદ્મવિભૂષણ 83 વર્ષીય બિરજુ મહારાજને હાર્ટએટેક આવ્યા બાદ તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા.આમ તેમના નિધનની ખબર તેમના પૌત્ર સ્વરાંશ મિશ્રાએ સોશિયલ મીડિયા પર આપી હતી.બિરજુ મહારાજનું સાચું નામ બ્રીજમોહન મિશ્રા હતું. જેમનો જન્મ 4 ફેબ્રુઆરી, 1938ના રોજ લખનૌમાં થયો હતો. બિરજુ મહારાજને ઇસ.1983મા પદ્મવિભૂષણથી નવાજવામાં આવ્યા હતા,જેમણે ઉમરાવ જાન,દેઢ ઇશ્કિયાં,બાજીરાવ મસ્તાની જેવી ફિલ્મો સહિત ઘણી બોલીવુડ ફિલ્મોમાં નૃત્ય કર્યું છે. પદ્મવિભૂષણ ઉપરાંત તેમને સંગીત નાટક અકાદમી પુરસ્કાર અને કાલિદાસ સન્માન પણ મળી ચૂક્યા છે.ઇસ.2012માં વિશ્વરૂપમ ફિલ્મમાં તેમની નૃત્ય કોરિયોગ્રાફી માટે તેમને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.આમ પંડિત બિરજુ મહારાજને થોડા દિવસો પહેલા કિડનીની બીમારી હોવાનું નિદાન થયા બાદ તેઓ ડાયાલિસિસ પર હતા.પરંતુ ગઈકાલે રાત્રે અચાનક તેમની તબિયત લથડી અને તેમનું અવસાન થયું હતું.બિરજુ મહારાજ દેશના પ્રખ્યાત કથ્થક ઘરાનાથી સંબંધ ધરાવે છે. જેઓ જગ્ગનાથ મહારાજના પુત્ર છે. બિરજૂ મહારાજને તેમના કાક લછ્છુ મહારાજ અને શંભૂ મહારાજે કથ્થકની તાલિમ આપી છે. પિતાના મૃત્યુ બાદ ખૂબ જ સંઘર્ષ બાદ બિરજૂ મહારાજનો પરિવાર દિલ્હી આવ્યો હતો. બિરજૂ મહારાજે 13 વર્ષની ઉંમરે સંગીત ભારતીમાં ડાન્સ શીખવાનું શરૂ કર્યું હતું.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved