લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / મહારાષ્ટ્રમાં છેલ્લાં 24 કલાકમાં 22 હજારથી વધુ દર્દીઓ સાજાં થયાં

મહારાષ્ટ્ર રાજ્યમાં વધુ 22,532 દર્દીઓને રજા આપવામાં આવી.ત્યારે રાજ્યમાં અત્યારસુધીમાં 53,62,370 દર્દીઓ સાજાં થતાં રાજ્યનો રીકવરી રેટ 93.55 ટકા છે.આમ છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં 18,600 નવા દર્દીઓ નોંધાયા છે.બીજીતરફ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 402 દર્દીઓના મોત થયાં છે.ત્યારે રાજ્યમાં વર્તમાન સમયમાં મૃત્યુદર 1.65 ટકા જેટલો છે.આમ મુંબઈ શહેરની વાત કરવામાં આવે તો તેમા કેસ ઘટતાં ફરી થોડાં વધ્યા છે.ત્યારે છેલ્લાં 24 કલાકમાં શહેરમાં નવા 1066 દર્દીઓ નોંધાયા છે.ત્યારે શહેરનો રીકવરી રેટ 94 ટકા થયો છે.