લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / મોચા વાવાઝોડું બાંગ્લાદેશ તરફ આગળ વધતા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા

બાંગ્લાદેશે આજે દક્ષિણ-પૂર્વીય દરિયાકિનારે લગભગ પાંચ લાખ લોકોને સ્થળાંતર કરવા ઓપરેશન શરૂ કર્યું છે.આ ઉષ્ણકટિબંધીય ચક્રવાત બાંગ્લાદેશ તરફ લેન્ડફોલ કરવા જઈ રહ્યું છે.જેમાં વર્તમાનનું મોચા વાવાઝોડું બે દાયકામાં બાંગ્લાદેશમાં આવેલા સૌથી શક્તિશાળી વાવાઝોડામાંનું એક છે.ત્યારે આ વાવાઝોડું આવતીકાલે બાંગ્લાદેશ-મ્યાનમાર સરહદ નજીક લેન્ડફોલ કરે તેવી આગાહી કરવામાં આવી છે.આમ આ અંગે હવામાન વિભાગે જણાવ્યું હતું કે વાવાઝોડું બાંગ્લાદેશના કોક્સ બજારના દક્ષિણ-પૂર્વ સરહદી જિલ્લાને અસર કરી શકે છે જ્યાં 5 લાખથી વધુ રોહિંગ્યા શરણાર્થીઓ રહે છે.ત્યારે તેને સુરક્ષિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.