આણંદમાં છેલ્લા કેટલાક સમયથી વિવિધ વિસ્તારોમાં બિલ્ડરો તેમજ સ્થાનિકો દ્વારા રોડ ઉપર આડેધડ ખોદકામ કરી ગટરોના ગેરકાયદેસર જોડાણ લેવાતા હોવાની ફરીયાદો ઉઠવા પામી છે.ત્યારે પાલિકા સત્તાધીશો દ્વારા આ બાબતે આંખ આડા કાન કરવામાં આવતા હોવાથી જાગૃતોમાં રોષ જોવા મળી રહ્યો છે.જેમાં આણંદના પૂર્વ પટ્ટી સહિતના વિવિધ વિસ્તારોમાં કેટલાક બિલ્ડરો દ્વારા જાહેર માર્ગ ઉપર ખોદકામ કરી આડેધડ ગટરલાઈનના જોડાણ કરવામાં આવતા હોવાની બૂમો ઉઠવા પામી છે. જેમાં નગરપાલિકાની કોઈપણ જાતની મંજૂરી લીધા વિના તેમજ માર્ગ મકાન વિભાગની પણ પરવાનગી વિના કેટલાક બિલ્ડરો દ્વારા જાહેર માર્ગ ઉપર ખોદકામ કરવામાં આવે છે અને રાતોરાત ખોદકામ કરી ગટરલાઈનનું કનેક્શન જોડી દેવામાં આવે છે.જેમાં ખાડા ખોદ્યા બાદ તેનું યોગ્ય રીતે પુરાણ કરવામાં ન આવતા વિવિધ માર્ગો ઉપર મસમોટા ખાડા પડી ગયા છે.આમ આગામી દિવસોમાં ચોમાસાની શરૂઆત થનાર છે તેવા સમયે આ પ્રકારના ખાડા મોટી મુશ્કેલી સર્જે તો નવાઈ નહી.કેટલીક જગ્યાએ તો ખોદકામ બાદ યોગ્ય પુરાણ ન થતા ભુવા પડવાની પણ શક્યતાઓ વધી જાય છે ત્યારે પાલિકા તંત્ર દ્વારા આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
Error: Server configuration issue
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved