Error: Server configuration issue
મુંબઇગરા કોરોનાનો પ્રકોપ ફરીથી વધે નહી તેના માટે દરેકે રસીના બંને ડોઝ લેવા જરૂરી છે. જેને ધ્યાનમાં રાખીને મુંબઇના બધા જ સરકારી તેમજ મહાનગરપાલિકાના રસીકરણ કેન્દ્રો પર 9મી સપ્ટેમ્બર 2021ના રોજ કોરોના રસીનો બીજો ડોઝ લેવાનો બાકી હોય તે લાભાર્થીઓ માટે વિશેષ સત્રનુ આયોજન કર્યું છે. જેમાં સરકારના બ્રેક ધ ચેન આદેશોની સુધારિત માગદર્શક સુચનાઓ અનુસાર બંને ડોઝ લીધેલા લોકોને રેલવેમાં પ્રવાસ કરવાની છૂટ મળી છે. તેમજ કેટલીક ખાનગી ઓફિસોમાં પૂર્ણ રસીકરણ થયેલા કર્મચારીઓને ઉપસ્થિત રહેવાની પરવાનગી આપવામાં આવી છે. આ વાતને આધારે બીજો ડોઝ બાકી હોય તેવા નાગરિકોને ડોઝની ઉપલબ્ધતા મુજબ વિશેષ રસીકરણ સત્ર 4થી સપ્ટેમ્બર 2021ના રોજ રાખવામાં આવ્યું હતું. જેમાં નાગરિકોનો ઉત્તમ પ્રતિસાદ જોવા મળ્યો હતો.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved