નાગપુરના હિંગણા એમઆઇડીસીમાં એગ્રો કંપનીમાં આજે સ્ફોટ થયા બાદ આગ લાગતા 4 કામદાર મોતના મોત થયા હતા.જ્યારે 3 લોકો ગંભીરપણે જખમી થયા હતા ત્યારે ફાયર બ્રિગેડની મદદથી બચાવની કામગીરી હાથ ધરવામાં આવી હતી.આમ નાગપુર સ્થિત આવેલી હિંગણા એમઆઇડીસીમાં સાંનેગામ નિપાણી ખાતે કટારિયા એગ્રો પ્રા.લિ કંપનીમાં બે શિફ્ટમા 15 જેટલા લોકો કામ કરે છે.જે કંપનીમાં રાબેતા મુજબ કામ કરવામાં આવી રહ્યું હતુ તે સમયે સવારે 11 વાગ્યે આગ લાગી હતી.જેમાં ધુમાડાને લીધે કામદારોને શ્વાસ લેવામાં તકલીફ થઇ હતી.ત્યારે બનાવની જાણ થતા એમઆઇડીસી પોલીસ તેમજ ફાયરબ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.પરંતુ આગમાં કામદારોનાં મોત થતા શોકની લાગણી પ્રસરી જવા પામી હતી.
Error: Server configuration issue
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved