કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા આગામી 17 થી 26 એપ્રિલ દરમ્યાન સોમનાથ ખાતે આયોજીત સૌરાષ્ટ્ર-તમીલ સંગમ કાર્યક્રમનું ઉદ્ઘાટન આગામી 17મીના રોજ વડાપ્રધાનના હસ્તે કરવામાં આવશે.ત્યારે આ પ્રસંગે સોમનાથમાં વડાપ્રધાનનો રોડ શો પણ યોજવામા આવશે.ત્યારે આ કાર્યક્રમને લઈને રાજય સરકાર અને વહીવટી તંત્ર તૈયારીઓમાં ગુંથાઈ ગયું છે.આમ સૌરાષ્ટ્ર-તમીલ કાર્યક્રમ સંદર્ભે રવિવારે મદૂરાઈમાં રોડ શો યોજવામાં આવશે.જે રોડ શોમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, પુરૂષોતમ રૂપાલા સહિતના મહાનુભાવો ભાગ લેનાર છે તેની સાથે રાજયભરમાંથી એક માત્ર રાજકોટ જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુ આ રોડ શોમાંથી ભાગ લેનાર હોઇ કલેકટર અરૂણ મહેશ બાબુ બપોર બાદ કાર્યક્રમમાં ભાગ લેવા માટે તામીલનાડૂ જવા રવાના થનાર છે.ત્યારે આ કાર્યક્રમ માટે 12 હજારથી વધુ લોકોનું રજીસ્ટ્રેશન પોર્ટલ પર થવા પામ્યુ છે.
Error: Server configuration issue
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved