લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / પુડુચેરી સ્થિત આવેલુ કરાઈકલ બંદર અદાણી પોર્ટે હસ્તગત કર્યુ

વર્તમાનમાં અદાણી જુથની કંપની અદાણી પોર્ટ એન્ડ એસઈઝેડ દ્વારા વધુ એક પોર્ટ હસ્તગત કરવામાં આવ્યુ છે.ત્યારે આ સાથે કંપનીના કુલ પોર્ટની સંખ્યા 14 થઈ ગઈ છે.અદાણી પોર્ટ દ્વારા રૂા.1485 કરોડમાં પુડુચેરી સ્થિત કરાઈકલ બંદરને હસ્તગત કરવામાં આવ્યું છેઆ હસ્તાંતરણ દરખાસ્તને એનસીએલટી દ્વારા મંજુરી આપી દેવામાં આવતા હસ્તગત પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે.જેમા નેશનલ કંપની લો ટ્રીબ્યુનલની ચેન્નઈની બેંચ દ્વારા કરાઈકલ પોર્ટના સંપાદનને બહાલી આપવામાં આવી હતી.જેમા પુડુચેરીનું કરાઈકલ બંદર 5 ઓપરેશનલ ખર્ચ, 3 રેલવે સાઈડીંગ,600 હેકટરથી વધુનો કુલ જમીન વિસ્તાર તથા 21.5 મીલીયન મેટ્રીક ટનની બિલ્ટ-ઈન માર્ગો હેન્ડલીંગની ક્ષમતા ધરાવે છે અને ઓલ-વેધર ડીપવોટર પોર્ટ છે.