કોરોનાના વધતા જતા સંક્રમણને રોકવા માટે પોષી પૂર્ણિમાએ એક દિવસ માટે શામળાજી ખાતે આવેલું વિષ્ણુ મંદિર ભક્તોના દર્શન માટે બંધ રહેશે. પૂર્ણિમાએ શામળીયાના દર્શન માટે હજારો ભક્તો આવતા હોય છે.જેને લઈ મંદિર ટ્રસ્ટ તરફથી પૂર્ણિમાના દિવસે મંદિર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.વર્તમાનમાં સમગ્ર રાજયભરમાં કોરોનાની ત્રીજી લહેરનું સંક્રમણ ઝડપથી પ્રસરી રહયું છે.જેને લઈ આગામી સોમવારે ઉજવવામાં આવનાર પોષ સુદ પૂર્ણિમાના રોજ સુપ્રસિધ્ધ યાત્રાધામ મંદિર એક દિવસ માટે ભક્તોના દર્શન માટે બંધ રાખવાનો મહત્વનો નિર્ણય ટ્રસ્ટ તરફથી કરવામાં આવ્યો છે. આમ દર પૂર્ણિમાએ જિલ્લાભરમાંથી હજારો ભક્તો ભગવાન શામળીયાના દર્શન માટે ઉમટી પડે છે. ત્યારે કોરોનાનું સંક્રમણ રોકવા માટે પૂર્ણિમા પૂરતા એક દિવસ માટે દર્શન બંધ રહેશે. બંધ મંદિરમાં ભગવાનની પૂજા અર્ચના કરવામાં આવશે.આમ ડાકોર બાદ શામળાજી મંદિર પણ બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો. ત્યારબાદ મંગળવારથી પુનઃમંદિર ભક્તોના દર્શન માટે રાબેતા મુજબ ખુલ્લુ મુકાશે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved