દેશમાં કોરોના સંક્રમણના કેસોમાં ઘટાડો થઈ રહ્યો હોય.પરંતુ રોજેરોજ મોટી સંખ્યામાં લોકોના મોત થવાનું યથાવત છે.ત્યારે પીએમ નરેન્દ્ર મોદીએ ચાર રાજ્યો ઉત્તરપ્રદેશ,છત્તીસગઢ,રાજસ્થાન અને પોંડીચેરીના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી હતી.જેમાં તેમણે આ ચારેય રાજ્યોમાં કોરોનાની સ્થિતિને લઈને ચર્ચા કરી હતી.આ દરમિયાન છત્તીસગઢના મુખ્યમંત્રી ભુપેશ બઘેલે પીએમ મોદી સાથે કરેલી વાતમાં કહ્યુ હતુ કે રાજ્યમાં ટેસ્ટિંગ વધારવામાં આવ્યુ છે અને સાથે-સાથે પોઝિટિવિટી રેટમાં ઘટાડો થઈ રહ્યો છે.ગ્રામ્ય વિસ્તારો પર વધુ ધ્યાન આપવામાં આવી રહ્યુ છે.આ સિવાય રાજ્યના જે વિસ્તારોમાં કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યા છે.ત્યાં આરોગ્ય કર્મચારીઓની વધારાની ટીમોને તૈનાત કરવામાં આવી છે.આ દરમિયાન મુખ્યમંત્રી બઘેલે પીએમ મોદીને અપીલ કરી હતી કે રાજ્યમાં વેક્સીનનો સપ્લાય વધારવામાં આવે.ત્યારે રસીના સપ્લાયને લઈને પહેલા પણ અલગ-અલગ રાજ્યોના મુખ્યમંત્રીઓ કેન્દ્રને ફરિયાદ કરી ચુક્યા છે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved