વર્તમાન સમયમાં માનહાનીના કેસમાં સુરત કોર્ટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને બે વર્ષની સજા તેમજ રૂ.15 હજારનો દંડ જાહેર કરાયા બાદ રાહુલ ગાંધીએ અપીલમાં જવા માટે મુદત માંગી હતી અને જામીન પણ મળી ગયા હતા.ત્યાંથી તેઓ અઠવાલાઈન્સ સર્કિટ હાઉસ ખાતે ગયા હતા અને ત્યાં ગુજરાતના સિનિયર નેતાઓ સાથે બેઠક કરી હતી.જેમા કોર્ટ કોટ દ્વારા રાહુલ ગાંધીને સજા જાહેર કર્યા બાદ તેઓને ત્વરિત જામીન મળી ગયા હતા જામીન મળ્યા બાદ રાહુલ ગાંધી કોર્ટ નજીક આવેલા અઠવાલાઈન્સ સર્કિટ હાઉસ પહોંચ્યા હતા.જ્યાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા,અજુન મોઢવાડિયા,જગદીશ ઠાકોર તથા સુરત કોંગ્રેસના કેટલાક નેતાઓ સર્કીટ હાઉસ પહોંચ્યા હતા જેમની સાથે કેટલાક એડવોકેટ પણ હતા ત્યાં રાહુલ ગાંધીએ ટૂંકી મુલાકાત કરી હતી.જે ટૂંકી મુલાકાત બાદ તેઓ સુરતની ખાનગી રેસ્ટોરન્ટ જે ગુજરાતી વાનગીઓ પીરસે છે ત્યાં ભોજન લેવા માટે ગયા અને ત્યાંથી દિલ્હી જવા માટે એરપોર્ટ પહોંચ્યા હતા.
Error: Server configuration issue
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved