લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / રાજકોટમાં આજથી ધંધા-રોજગાર શરૂ થયા,વેપારીઓને રાહત મળી

રાજ્ય સરકાર દ્વારા લોકડાઉનમાં આંશિક રાહત આપી મર્યાદિત સમય સુધી વેપાર-ધંધામાં છૂટછાટ આપવામાં આવી છે.ત્યારે સરકારના આ નિર્ણયથી રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતના વેપારીઓમાં ખુશી છવાઇ છે.આમ લાંબાસમયના વિરામ બાદ વેપારીઓ પોતાના દુકાનોના શટર ખોલતા ખુશ થયા હતા.આંશિક લોકડાઉનમાં આજથી સવારે 9 થી બપોરે 3 સુધી તમામ ધંધા-રોજગાર કાર્યરત રહેશે.જેમાં વેપારીઓ દ્વારા સરકારના નિર્ણયને આવકારી ધંધા-રોજગાર શરૂ કર્યા છે.જેમાં વેપારીઓ દ્વારા પણ કોવિડ ગાઇડલાઈનના પાલન સાથે ધંધો કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે.જેમાં સંક્રમણ ન ફેલાય તે માટે તકેદારી રાખી ધંધો કરવામાં આવશે.