લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / સાળંગપુર ધામમાં દિવ્ય શણગાર કરવામાં આવ્યો

આગામી સમયમાં સાળંગપુર ધામમાં કિંગ ઓફ સાળંગપુરની 54 ફુટની ઉંચી હનુમાનજીની પ્રતિમાનું અનાવરણ વડતાલ ધામના પીઠાધિપતિ પૂ.આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજના સાંનિધ્યમાં થવા જઇ રહ્યું છે.ત્યારે મંદિરમાં ભવ્ય રોશની તથા લેસર શોનું આકર્ષણ થયું હતું.જેમાં ફકત મંદિર જ નહી પરંતુ ભોજનાલય, વિશ્રામગૃહ સહિત સંકુલના તમામ બિલ્ડીંગો દિવ્ય શણગારથી દિપી ઉઠયું હતું.આ સિવાય આવતીકાલે કષ્ટભંજન દેવ ભોજનાલયનું ઉદઘાટન સાથે હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવશે.ત્યારે આવતીકાલે કેન્દ્રીય મંત્રી અમિત શાહ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ રહેશે.