લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / સાણંદ એસ.ટીની 20 રૂટની 120 ટ્રીપો રદ કરાઇ

કોરોનાના વધતા કેસોને લઈને રાજ્યમાં આંશિક લોકડાઉન જેવી સ્થિતિ છે.ત્યારે સાણંદ તાલુકામાં પણ કોરોના કેસો વધવા લાગ્યા છે જેને લઈને તકેદારીના ભાગરૂપે સાણંદ એસ.ટી વિભાગ દ્વારા 20 રૂટો બંધ કરતા સાણંદ બસ સ્ટેશનમાં પેસેન્જરો રઝળી પડતા ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.આમ છેલ્લા એક અઠવાડિયાથી સાણંદ એસ.ટી વિભાગ દ્વારા એસ.ટી બસોની 120 જેટલી ટ્રીપોની અવરજવર ઉપર રોક લગાવી દીધી છે.જેમાં સાણંદ થી ઝાલોદ,ઉદયપુર તેમજ સુરેન્દ્રનગર,કડી,અમદાવાદ-વાસવા,અમદાવાદ-સવલાણા,અમદાવાદ-નળસરોવર સહીતના રૂટોની બસોનો રૂટ રદ કરી નાખવામાં આવ્યો છે.