ભાવનગરના નારી ગામ પાસે આવેલા રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજીના માર્ગદર્શન હેઠળ તૃતીય ત્રિ-દિવસીય રેસીડેન્શીયલ સાયન્સ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં ધો.8 અને 9ના વિદ્યાર્થીઓ માટે આયોજન કરવામાં આવ્યુ છે.આ સમર કેમ્પમાં વિદ્યાર્થીઓ પ્રવૃત્તિ કરતા કરતા ગણિત,વિજ્ઞાન અને એન્જીનીયરિંગ ક્ષેત્રે જ્ઞાન મેળવી વિજ્ઞાન અને ટેકનોલોજીના જ્ઞાનમાં વધારો કરી શકશે.ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલ મુખ્ય અતિથિ તરીકે જ્યારે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના ઈ.સી મેમ્બર ડો.ગીરીશભાઈ પટેલ, અતિથિ વિશેષ તરીકે તૃતીય સાયન્સ સમર કેમ્પના ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.આમ ભાવનગર આર.એસ.સી દ્વારા 3 સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ.જેમાં આ છેલ્લો અને ત્રીજો સાયન્સ સમર કેમ્પ છે.જેમા ભાગ લેનાર વિદ્યાર્થીએ 3 દિવસ અને 2 રાત્રિ રોકાણ કરવાનું રહેશે.જેમાં ભાગ લેનારની રહેવાની વ્યવસ્થા આરએસસી દ્વારા કરવામાં આવી છે.ત્યારે આ કેમ્પમાં તજજ્ઞો દ્વારા વિવિધ પ્રવૃતિઓ કરાવવામાં આવશે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved