ગુજરાતમાં રાત્રી કર્ફ્યુ અને કોરોના નિયંત્રણ ગાઈડલાઈનમાં રાજ્ય સરકાર દ્વારા રાહત આપવામાં આવી છે.જેમાં 11 જૂન પછી હોટલ-રેસ્ટોરન્ટમાં 50 ટકાની છૂટ સાથે ભોજન લઈ શકાશે.આમ આ પ્રકારના નિર્ણયથી હોટલ ઈન્ડસ્ટ્રીને રાહત મળી છે.આમ આગામી 11 જૂન 2021ના સવારે 6 વાગ્યાથી કેટલાક નિયંત્રણો હળવા કરવામાં આવશે.જેમાં રેસ્ટોરન્ટ અને હોટલ 11 જૂન 2021 થી 26 જૂનના સવારે 9 થી સાંજે 7 સુધી ક્ષમતાના 50 % સાથે ચાલુ રાખી શકાશે.જ્યારે ટેકઅવે રાત્રે 9 સુધી જ્યારે હોમ ડિલિવરી રાત્રે 12 વાગ્યા સુધી થઈ શકશે.આ સિવાય રાત્રી કર્ફ્યુનો અમલ 11 જૂનના રાત્રે 9 થી 26 જુન 2021ના સવારે 6 વાગ્યા સુધી રાત્રે 9 થી સવારે 6 વાગ્યા સુધી કરવાનો રહેશે.જેમાં તમામ દુકાનો,વાણિજ્યિક એકમો,લારી-ગલ્લા,શોપિંગ કોમ્પલેક્સ, માર્કેટયાર્ડ,હેર કટીંગ સલૂન,બ્યુટી પાર્લર તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિઓ સવારે 9 થી સાંજના 7 સુધી ચાલુ રાખી શકાશે.લાઇબ્રેરી તેની બેઠક ક્ષમતાના 50 ટકા સાથે જ્યારે બાગબગીચા સવારે 6 થી સાંજે 7 સુધી ચાલુ રહેશે,જીમ્નેશિયમ 50 ટકા કેપેસિટી સાથે ચાલુ રાખી શકાશે,રાજ્યમાં રાજકીય,સામાજિક (બેસણું) ધાર્મિક,સાંસ્કૃતિક કાર્યક્રમો વધુમાં વધુ 50 વ્યક્તિની મર્યાદામાં રાખી શકાશે.રાજ્યના તમામ ધાર્મિક સ્થાનો જાહેર જનતા માટે દર્શનાર્થે ખુલ્લાં રહેશે.પરંતુ એકસમયે એકસાથે 50થી વધુ દર્શનાર્થીઓ એકત્રીત ન થાય તેનું પાલન સુનિશ્ચિત કરવાનું રહેશે,શહેરી બસ સેવાઓ અને એસ.ટી બસ જેવી પબ્લિક બસ સર્વિસ 60% પેસેન્જર ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે.
આમ આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ,શિક્ષણમંત્રી,ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા,મુખ્ય સચિવ અનિલ મુકીમ અને મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ કે.કૈલાસનાથન,ગૃહના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર,મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ.કે દાસ સહિતના વરિષ્ઠ સચિવો ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved