લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / સુરત સામાજિક વનીકરણ વિભાગ દ્વારા રોપાઓનું વાવેતર કરાયું

વૃક્ષોના વાવેતર અને ઉછેર થકી પર્યાવરણના સંરક્ષણ માટે સામાજિક વનીકરણ વિભાગ સુરત દ્વારા સુરત જિલ્લામાં વર્ષ 2021-22 દરમિયાન વિવિધ મોડેલ જેવા કે પટ્ટી,ગ્રામવાટિકા,ફાર્મ ફોરેસ્ટ્રી,વૃક્ષ ખેતી તથા અન્ય પ્રકલ્પ મળી કુલ 568 સ્થળ પર 4.63 લાખ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે.જે પૈકી 169 લાભાર્થીઓ ખેડુતોની 167 હેક્ટર પડતર જમીનમાં ફાર્મ ફોરેસ્ટ્રી તથા 117 લાભાર્થીઓની 160 હેક્ટર જમીન પર વૃક્ષખેતી તેમજ 143 લાભાર્થીઓની 180 હેક્ટર જમીન પર રોપા વાવી કુલ 429 લાભાર્થીઓની 568 હેક્ટર જમીનમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે.આમ 72માં વનમહોત્સવ હેઠળ આ વર્ષે ચોમાસામાં ખાતાકીય 24 નર્સરીઓ તથા વ્યક્તિગત 31 જેટલી કિસાન ગૃપ નર્સરીઓ મળી 55 નર્સરીઓમાં 22.52 લાખ રોપાઓ ઉછેરી વિવિધ સંસ્થાઓ,ખેડૂતો,પંચાયતો વિગેરેને રોપાઓ વિતરણ કરવામાં આવ્યું છે.આ ઉપરાંત વર્ષ 2022માં 5 વનકુટિર બનાવવામાં આવનાર છે.જે પૈકી માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામ ખાતે કુટિર અને પવિત્ર વન તથા વેલાછા ગામમા 2 પંચવટી કેન્દ્ર બનાવવામાં આવ્યા છે.