લિંક કોપી થઇ ગઈ છે..
Home / પ્રાદેશીક / થરાદમાં આગામી 9મીમેએ મહારાણા પ્રતાપની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે

થરાદમાં નગરપાલિકા દ્વારા સુચિત જગ્યામા બનનાર મહારાણા પ્રતાપની પ્રતિમાના અનાવરણ અંગે રાજપુત સમાજની બેઠક યોજાઇ હતી.જેમાં આગામી જયંતીએ મહારાણાની પ્રતિમાનું અનાવરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતુ.જેનું આગામી 9 મેના રોજ મહારાણા પ્રતાપ જન્મજયંતિના દિવસે અનાવરણ થાય તેવુ આયોજન કરવામાં આવી રહ્યું છે.ત્યારે આ બેઠકમાં રાજપુત સમાજના પ્રમુખ ડી.ડી.રાજપુત,પૂર્વ ધારસભ્ય ગુલાબસિંહ રાજપુત,નગરપાલિકા પૂર્વ પ્રમુખ પથુસિંહ રાજપુત, સવાઇસિંહ રાજપુત,વિક્રમસિંહ રાજપુત,વિજયસિંહ રાજપુત,વણાજી રાજપુત,રામભાઇ રાજપુત,અલ્પેશસિંહ રાજપુત,થાંનાભાઇ રાજપુત,વરધાજી રાજપુત સહિતના અગ્રણીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.