રાજકોટમાં વર્તમાનમાં ઉનાળો તપી રહ્યો છે.જેના કારણે અસહ્ય ગરમી પડી રહી છે અને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.જેમાં બપોરે 1 થી 4 દરમિયાન કુદરતે કર્ફયૂ લાગુ કર્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.ત્યારે આ બધાની વચ્ચે શહેરમાં ઋતુજન્ય રોગચાળાએ માથું ઉંચક્યું હોય તેવી રીતે એક સપ્તાહમાં શરદી-ઉધરસ અને ઝાડાઊલટી ના કેસમાં વધારો થવાની સાથે ડેંગ્યુમાં વધારો જોવા મળી રહ્યો છે.ત્યારે આ અંગે મહાપાલિકાની આરોગ્ય શાખા દ્વારા રોગચાળાનો સાપ્તાહિક રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે.જે મુજબ તા.15 થી 21 મે દરમિયાન શરદી-ઉધરસના 188 કેસ,સામાન્ય તાવના 29,ઝાડા-ઊલટીના 101 કેસ જોવા મળ્યા છે.જ્યારે ટાઈફોઈડ,કમળો અને મરડાના પણ કેસ નહીં મળ્યા હોવાનું જાહેર થયુ છે.બીજીતરફ મેલેરિયા અને ચિકનગુનિયાનો એકપણ કેસ નહીં નોંધાતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved