લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / ઉજ્જૈનમાં મહાકાલના દર્શન કરવા સરળ બનશે

મહાકાલ મંદિર સમિતિ ભસ્મ આરતી અને ઝડપી દર્શન ટિકિટ સુવિધા બાદ વર્તમાનમાં ગર્ભગૃહમાં પ્રવેશ માટે ઓનલાઈન બુકિંગ સુવિધા શરૂ કરવા જઈ રહી છે.જેની આવતા મહિનેથી શરૂઆત થવાની સંભાવના જોવા મળી રહી છે.જેમાં સવારે 6 થી બપોરે 12:30 વાગ્યા સુધી 6 સ્લોટ બનાવવામાં આવી રહ્યા છે.જે પ્રત્યેક સ્લોટમાં 50 લોકોને ઓનલાઈન બુકિંગ દ્વારા ગર્ભગૃહમાં પ્રવેશ આપવામાં આવશે.મંદિર તંત્ર અનુસાર પ્રતિદિન લગભગ 1500 ભક્તોને સશુલ્ક ગર્ભગૃહમાં પ્રવેશ આપવામાં આવે છે.જેમાં પૂજારી,પુરોહિતના યજમાન પણ સામેલ હોય છે.