લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / ડબલ્યુ.ટી.સીની ફાઈનલ મેચમાં ભારતીય ટીમમાં અશ્વિન અને જાડેજાનો સમાવેશ કરાયો

ભારતે આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે.જેમાં અશ્વિન અને જાડેજાની સ્પિન જોડીનો સમાવેશ કરવામાં આવ્યો છે.આમ કોહલીની કેપ્ટન્સી હેઠળની ભારતીય ટીમ ન્યૂઝિલેન્ડને પરેશાન કરવા બંને સ્પિનરોને સમાવીને સરપ્રાઈઝ આપે તેવી શક્યતા છે.આ સિવાય રોહિત શર્મા અને શુભમન ગિલની જોડી ન્યૂઝિલેન્ડ સામેની ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ઓપનિંગ કરશે તે નક્કી છે.ત્યારે વિકેટકિપર તરીકે પંત અને સહા બંનેને 15 ખેલાડીઓમાં સ્થાન મળ્યું છે.

ભારતની ટીમ- રોહિત શર્મા,શુભમન ગિલ,ચેતેશ્વર પુજારા,વિરાટ કોહલી (કેપ્ટન),અજિંક્ય રહાણે (વાઈસ કેપ્ટન),હનુમા વિહારી, ઋષભ પંત (વિ.કી.),સહા (વિ.કી.),આર.અશ્વિન,રવિન્દ્ર જાડેજા,જસપ્રીત બુમરાહ,ઈશાંત શર્મા,મોહહમદ શમી,કુલદીપ યાદવ,મોહહમદ સિરાજ સહિતના ખેલાડીઓનો સમાવેશ કરાયો હતો.