લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / યાસ વાવાઝોડુ ઓડિશાના કાંઠે ત્રાટકયુ

બંગાળની ખાડીમાં સર્જાયેલુ યાસ વાવાઝોડુ આજે ઓડીશાના દરીયાકાંઠે ત્રાટકયુ હતું.જેમાં 185 કી.મીની ઝડપે ફુંકાયેલા પવનને કારણે વ્યાપક તારાજીની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે.જેના પગલે એનડીઆરએફની 115 જેટલી ટીમોને તૈનાત કરવામાં આવી છે.આ વાવાઝોડાની અસરથી પશ્ચિમ બંગાળ તથા ઓડીશામાં તોફાની વરસાદ છે.જેના કારણે 13 લાખ લોકોનું સ્થળાંતર કરવા સાથે રાહત અને બચાવ કામગીરીના તમામ પગલા લેવામાં આવ્યા હતા.

આ સિવાય પશ્ચિમ બંગાળનાં નોર્થ પરગણા,ડીધા સહીતનાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ છે.આમ વાવાઝોડાના પ્રભાવ હેઠળ ઝારખંડ, તામીલનાડુ,આંધ્રપ્રદેશ, તથા આંદામાન-નિકોબારમાં પણ વરસાદી એલર્ટ જાહેર કરીને આગમચેતીનાં પગલા લેવા ચેતવણી આપવામાં આવી છે.આમ વિજક્ષેત્ર ઉપરાંત બંદર તથા રોડ-રસ્તા-કૃષિ બાગાયતને મોટૂ નુકશાન થવાની આશંકા પણ વ્યકત કરવામાં આવી રહી છે.આ ઉપરાંત નૌકાદળના જહાજને પણ તૈનાત રાખવામાં આવ્યુ છે.ઓડીશાના કાંઠે ત્રાટકેલા ભયાનક યાસવાવાઝોડાની અસરથી લેન્ડ ફોલ વખતે તીવ્રતા ભયંકર રહેવાની આગાહીને ધ્યાને રાખીને ઓડીશા તથા પશ્ચિમ બંગાળના 5 એરપોર્ટ બંધ કરીને તમામ વિમાની ઉડ્ડયનો રદ કરી નાખવામાં આવી હતી.આ સિવાય પશ્ચિમ બંગાળ તથા ઓડીશાની ડઝનબંધ ટ્રેનો પણ રદ કરી નાખવામાં આવી હતી.આમ વાવાઝોડાની ચેતવનીને ધ્યાને રાખીને નૌકાદળ-વાયુદળ અને સૈન્યને સ્ટેન્ડ-ટુ-રાખવામાં આવ્યા છે.જેમાં ગમે તેવી પરિસ્થિતિનો સામનો કરવા માટે હેલીકોપ્ટર સહીતના સંશોધનો સાથે જવાનોને સ્ટેન્ડ-ટુ રખાયા છે.તેમજ જરૂર પડયે વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોમાં રાહત-બચાવ કામગીરી માટે તૈનાત કરાશે.