નાણામંત્રી નિર્મલા સીતારામને જાહેર કરેલા બજેટના માધ્યમથી નાણાંકીય વર્ષ પૂરૂં થયા પછી આગામી 2 વર્ષ સુધી રિવાઈઝ રિટર્ન ફાઈલ કરવાની છૂટ આપી છે. જેમાં જૂની વ્યવસ્થા હેઠળ જે રિટર્ન રિવાઈઝ 12 મહિના સુધીમાં કરી શકાતું હતું,તે રિટર્ન 36 મહિના સુધીમાં રિવાઈઝ કરી શકાશે.કરદાતાની આવક બતાવવાની રહી ગઈ હોય તો તે આવક બતાવીને તેના પર ભરવાનો થતો વેરો ભરી દેવાની તેમને છૂટ આપવામાં આવી છે.આ માટે આવકવેરા ધારાની કલમ 139 (8એ)માં સુધારો કરવામાં આવ્યો છે.આ સાથે નાણામંત્રીએ કેટલીક શરતો રાખી છે.કરદાતા તેના જૂના રિટર્નમાં દર્શાવેલી આવકમાં કોઈ જ ઘટાડો કરી શકશે નહિ,કરદાતાએ તેની બતાવવાની રહી ગયેલી આવક જ બતાવવાની રહેશે,કરદાતા એક વર્ષ બાદ રિવાઈઝ રિટર્ન ફાઈલ કરશે તો તેણે બતાવેલી આવક પર કાયદેસર ભરવાના થતાં ટેક્સ ઉપરાંત 25 ટકા ટેક્સ અને સરચાર્જ જમા કરાવવો પડશે.આ રીતે તે બે વર્ષ પછી રિવાઈઝ રિટર્ન ફાઈલ કરે તો તેણે દર્શાવેલી વધારાની આવક પર કાયદેસર ભરવાના થતાં ટેક્સ ઉપરાંત 50 ટકા ટેક્સ અને સરચાર્જ ભરવાનો આવશે.તેમજ તેના વિલંબિત ચૂકવણી માટેનું વ્યાજ પણ ભરવું પડશે.
Business ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved