લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / લોકડાઉનના નિયમો તોડવા બદલ હજારો લોકો સામેના થયેલા કેસ પાછા ખેંચ્યા

કોરોનાના કારણે દેશમાં ગયા વર્ષે 60 દિવસ સુધી આકરુ લોકડાઉન લગાવવામાં આવ્યુ હતુ.એ પછી પણ આંશિક પ્રતિબંધો ચાલુ રહ્યા હતા.

આ સમયગાળા દરમિયાન વેપારીઓથી માંડીને આમ લોકો પર લોકડાઉનના નિયમો તોડવા માટે હજારો કેસ દરેક રાજ્યોમાં થયા હતા.હવે જ્યારે ધીરે ધીરે સ્થિતિ થાળે પડી રહી છે ત્યારે યોગી સરકારે દેશમાં પહેલ કરીને લોકડાઉન તોડવા માટે જેટલા પણ કેસ થયા છે તે તમામ કેસ પાછા ખેંચવા માટે આદેશ કરાયો છે.આમ આવા કેસ પાછા ખેંચનાર યુપી દેશનુ પહેલુ રાજ્ય બન્યુ.

સરકારના આ આદેશથી હજારો લોકોને કોર્ટ અને પોલીસ મથકના ધક્કા ખાવાના બચી જશે.યુપીના કાયદા મંત્રીએ આ માટેના નિર્દેશ પણ અધિકારીઓને આપી દીધા છે.હજારો વેપારીઓ સાથે મોટી સંખ્યામાં કર્મચારીઓ, મજૂરો, ખેડૂતોને રાહત મળશે.તેમણે કહ્યુ હતુ કે, વેપારીઓ આ માટે લાંબા સમયથી માંગ કરી રહ્યા હતા અને સરકારે વિચારણા બાદ આ માંગણી સ્વીકારી લીધી છે.

સરકારનુ પણ માનવુ છે કે, જો આ કેસ ચાલુ રહ્યા હોત તો લોકો હેરાન થાત અને પોલીસને પણ લોકોને પરેશાન કરવાનો મોકો મળતો.