લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / ગાંધી આશ્રમથી શરૂ થનારી દાંડીયાત્રામાં નરેન્દ્ર મોદી સાથે કેન્દ્રીય મંત્રીઓ પણ પદયાત્રા કરશે

દેશની આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણીનો પ્રારંભ આઝાદી કા અમૃત મહોત્સવ પ્રારંભ 12 માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં થશે.જેનો પ્રથમ કાર્યક્રમ 21 દિવસની દાંડીયાત્રાને વડાપ્રધાન ફલેગ ઓફ કરી પદયાત્રામાં ચાલશે.જે યાત્રા અમદાવાદના સાબરમતીથી રવાના થશે.આમ આ યાત્રામાં 81 ગાંધી અનુયાયીઓ જોડાશે અને ઈસ 1930માં ઐતિહાસિક દાંડીયાત્રા સમયે મહાત્મા ગાંધીએ જે માર્ગો પર યાત્રા યોજી હતી એ માર્ગ પર જ યાત્રા આગળ વધશે.આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની,મનસુખ માંડવિયા હાજર રહેશે.આ માટેની તૈયારીઓ શરૂ થઈ છે.મોદી વર્તમાન સમયમાં કેવડિયા કોલોની ખાતે જોઈન્ટ કમાન્ડની બેઠકમાં હાજરી આપવા આવ્યા હતા.આમ આ માસમાં તેમની બીજી ગુજરાત મુલાકાત હશે.

દેશની આઝાદી અને મહાત્મા ગાંધી સાથે સંકળાયેલા અમદાવાદના સાબરમતી આશ્રમના નવીનીકરણનો પ્રોજેકટ પ્રારંભ કરવા નિર્ણય લીધો છે.જેના માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને એક કમિટીની રચના કરવામાં આવી છે.જેમાં રાજ્યસભાના સાંસદ નરહરિ અમીન, સાંસદ કિરીટ સોલંકી ઉપરાંત રાષ્ટ્રીય કક્ષાના ગાંધી વિચારધારાના મહાનુભાવો ગાંધી આશ્રમના સંચાલકો,ટૂરિઝમ ડેવલપમેન્ટ કોર્પો તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોના અધિકારીઓને સામેલ કરાયા છે.