રામનગરી અયોધ્યાની કાયાકલ્પ કરવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.જેના માટે કેનેડાના એલઇએ એસોસિએટ્સને કન્સલ્ટેંસી એજન્સી તરીકે નિયુક્ત કરવામાં આવી છે.જે કંપની અયોધ્યાનો પૂર્ણ વિકાસ, નગર આયોજન,પર્યટન,સિટી એરિયા પ્લાનિંગ બનાવશે.જેમાં સી.પી.કુકરેજા અને L&T કંપની ભાગીદારો હશે.આમ ઉત્તરપ્રદેશ સરકાર અયોધ્યાને વર્લ્ડ ક્લાસ સિટી બનાવવાની તૈયારી કરી રહી છે.આમ રામમંદિરની ભવ્યતા માટે ત્રણ કંપનીઓ સાથે હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.જેમાં અયોધ્યાના સ્માર્ટ સિટીએરિયા પ્લાનિંગ,રિવર એરિયા ડેવલપમેન્ટ,હેરિટેજ,ટૂરિઝમ અને શહેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાનિંગ માટે કરાર કરવામાં આવ્યા છે.જેમાં કેનેડિયન કંપની એલઇએ એસોસિએટ્સ સાઉથ એશિયા પ્રાઈવેટ લિમિટેડની પસંદગી અયોધ્યા ડેવલપમેન્ટ ઓથોરિટીએ કરી છે.
આમ અયોધ્યા વિકાસ ઓથોરિટી દ્વારા રિક્વેસ્ટ ફોર પ્રપોજલ પ્રકાશિત કરવામાં આવી હતી.જે રિક્વેસ્ટ ફોર પ્રપોજલ હેઠળ ઘણી કંપનીઓએ અરજી કરી હતી.જેમાં અયોધ્યા વિકાસ ઓથોરિટી દ્વારા કુલ સાત ઓફરોમાંથી છ ટેન્ડરોની પસંદગી સ્પર્ધા માટે કરવામાં આવી હતી.જેમાં ટેન્ડર મૂલ્યાંકન સમિતિએ અયોધ્યામાં ભવ્ય વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરવા માટે છેલ્લી ત્રણ કંપની પર પંસદગી ઉતારી હતી.આ ત્રણ કંપનીઓમાં મેસર્સ એલઇએ એસોસિએટ્સ સાઉથ એશિયા પ્રાઈવેટ લિમિટેડ,મેસર્સ આઈપીઇ અને દેશની જાણીતી મેસર્સ ટાટા કન્સલ્ટિંગ એન્જિનિયર્સને અંતિમ સ્પર્ધા માટે પસંદ કરવામાં આવી છે.આમ પસંદ કરેલી કંપની એક સર્વે દ્વારા અયોધ્યા શહેરના વિસ્તૃત અભ્યાસ પર કામ કરશે.જેમાં અયોધ્યાની ધાર્મિક પર્યટન ક્ષમતા અને રામમંદિરના મહત્વને ધ્યાનમાં રાખીને તેના સર્વાંગી વિકાસ પર કામ કરશે.આમ કંપની ઇન્ટિગ્રેટેડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર યોજના અને નીતિનિર્માણ પર પણ ધ્યાન આપશે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved