લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / દિલ્હી સરકારે પલાયન રોકવા માટે પ્લાન કર્યો,શ્રમિકોને બે વખતમાં રૂ.5 હજારની સહાય આપવામાં આવશે

દિલ્હી સરકાર લોકડાઉન દરમિયાન પ્રવાસી,દૈનિક અને નિર્માણ કાર્યમાં લાગેલા શ્રમિકોની ભલાઈ માટે પ્રતિબદ્ધ છે.ત્યારે સરકારે લોકડાઉન દરમિયાન તેમના રહેવા,ખાવા-પીવા,કપડા અને દવાઓ વગેરેની વ્યવસ્થા માટે જરૂરી પગલા ભર્યા છે.જે અંતર્ગત દિલ્હી સરકારે હાઈકોર્ટને પ્રધાન સચિવ ગૃહના નેતૃત્વમાં કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે જે તમામ વ્યવસ્થાઓનું મોનિટરિંગ કરશે તેવી જાણકારી આપી હતી.

આમ હાઈકોર્ટે દિલ્હી સરકાર પાસેથી લોકડાઉન દરમિયાન પ્રવાસી,દાડિયા અને નિર્માણ કાર્યમાં લાગેલા શ્રમિકો માટે યોગ્ય પગલા ભરવા અંગે રિપોર્ટ માંગ્યો હતો.જે રિપોર્ટમાં સરકારે કહ્યુ હતું કે સરકારે શ્રમિકોની ભલાઈ માટે અનેક પગલાઓ ભર્યા છે.જેમાં તમામ પ્રકારની વ્યવસ્થા જોવા માટે એક કમિટીની રચના કરવામાં આવી છે અને પ્રધાન સચિવ ગૃહ ભૂપિન્દ્રસિંહ ભલ્લાને તેના ચેરમેન બનાવવામાં આવ્યા છે જે રાજ્યના નોડલ અધિકારી રહેશે.જ્યારે દિલ્હી પોલીસના વિશેષ અધિકારી રાજેશ ખુરાના દિલ્હી પોલીસ તરફથી નોડલ અધિકારી રહેશે. શ્રમિકોને કાર્ય સ્થળે રહેવા,ખાવા-પીવા,દવા વગેરેની સુવિધા મળી રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવશે અને નાણાવિભાગ ફંડની વ્યવસ્થા કરશે.

આમ વર્ષ 2020માં શ્રમિકોને બે વખતમાં રૂ.5-5 હજારની સહાય આપવામાં આવી હતી.તેમજ 20 એપ્રિલ,2021થી ફરી રૂ.5,000ની આર્થિક સહાય આપવામાં આવશે.તે સિવાય શાળાઓને આપવામાં આવેલા મિડ-ડે મીલનો ઉપયોગ શ્રમિકોના ભોજન માટે કરવામાં આવશે.