લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / લાલુ યાદવનાં મોટાભાઈ મહાવીર રાયનું હાર્ટ એટેકથી નિધન થયું

બિહારનાં પૂર્વ મુખ્યમંત્રી અને રાજદનાં સુપ્રિમો લાલુપ્રસાદ યાદવનાં મોટાભાઈ મહાવીરરાયનું પટણા સ્થિત આઈ.જી.આઈ.એમ.એસ હોસ્પીટલમાં નિધન થયુ હતું. તેમને હાર્ટ એટેક આવ્યા બાદ હોસ્પીટલમાં દાખલ કરવામા આવ્યા હતા.આમ 80 વર્ષિય મહાવીરરાય બી.પી, સુગર અને દમના દર્દી હતા.જેઓ છેલ્લા બે-ત્રણ મહિનાથી કિડની ફેલ્યોરનાં કારણે બીમારીનો સામનો કરી રહ્યા હતા.જે અંગે સ્વજનોએ જણાવ્યું હતું કે સ્વ.મહાવીરરાયની અંતિમયાત્રા શુક્રવારે નીકળશે.જ્યારે પટણાના દીધા ગંગાઘાટ પર અંતિમ સંસ્કાર થશે.