લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / એસ.બી.આઈ બેંક જનધન ખાતાધારકોને અકસ્માત વીમા કવચ આપશે

વર્તમાન સમયમાં પર્યાપ્ત વીમા કવચ હોવું દરેકના માટે જરૂરી છે.જેમા પોલીસી હોલ્ડરની સાથે કોઈપણ પ્રકારની દુર્ભાગ્યપૂર્ણ ઘટના બને તો તેના આશ્રિતોને ઇન્સ્યોરન્સ કંપની તરફથી સારી એવી રકમ મળી શકે છે.ત્યારે જનધન ખાતાધારકો જો રૂપે કાર્ડ રાખતા હોય તો તેમને 2 લાખ રૂપિયા સુધીનો એકસીડેન્ટલ વીમો મળે છે.આમ દેશની સૌથી મોટી બેન્ક ભારતીય સ્ટેટ બેન્કે આ બાબતે પોતાના જનધન ખાતાધારકોને માહિતગાર કર્યા છે.જેમાં એસબીઆઈએ લખ્યું છે કે સફળતાના માર્ગે ચાલવાનો સમય છે.આમ આ કાર્ડ સાથે 2 લાખ રૂપિયા સુધીનું એકસીડેન્સીયલ ઇન્સ્યોરન્સનું કવર મળે છે તેમજ તેને મેળવવામાં 90 દિવસમાં કાર્ડ સ્વેપ કરાવવાનું હોય છે.આમ જનધનની સ્કીમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 28 ઓગષ્ટ 2014ના શરૂ કરી હતી.